રાજ્યસભાના ઉપાધ્યક્ષે પરિવાર સાથે મા અંબાના દર્શન…

1 Min Read

રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશજીએ આજે પોતાના પરિવાર સાથે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે માઁ અંબાના દર્શન કરી શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર પૂજા-અર્ચના અને આરતી કરી હતી.આ ધાર્મિક મુલાકાત દરમિયાન તેમણે દેશની સમૃદ્ધિ, શાંતિ અને નાગરિકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

તેમની મુલાકાતને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રોટોકોલ મુજબ તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. હરિવંશજીના આગમન સમયે મંદિર પ્રશાસન અને સ્થાનિક અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Share This Article