IND vs NZ ત્રીજી ODI: ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર કર્યો છે. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણના સ્થાને અર્શદીપ સિંહને ટીમમાં લાવવામાં આવ્યો છે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ટોસ જીત્યા બાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલે કહ્યું, ‘અમે આ વિશે વાત કરી હતી (બોલ કરવાનો નિર્ણય). ગત વખતે ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરીને અમારા પર દબાણ બનાવ્યું હતું. પ્રથમ બોલિંગ કરવા પાછળનું એક કારણ એ છે કે પિચ સારી દેખાઈ રહી છે, ઝાકળની વધુ અપેક્ષા નથી અને બોર્ડ પર રન થવાથી અમે વધુ સારી રીતે પીછો કરી શકીશું.
IND vs NZ ત્રીજી ODI: બંને ટીમોની પ્લેઈંગ-11
ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.
ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન: ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, વિલ યંગ, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ હે (wk), માઈકલ બ્રેસવેલ (c), ઝાચેરી ફોલ્કેસ, કાયલ જેમીસન, ક્રિશ્ચિયન ક્લાર્ક, જેડેન લેનોક્સ.
