વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ અને રાજ્યમાં ‘૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના અને જન કલ્યાણના’ પૂર્ણ થવાના અવસરે “આ દેશવ્યાપી ઝુંબેશ અંતર્ગત આજરોજ ‘પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છતા જન જાગૃતિ અભિયાન’ હેઠળ વાવ – થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના સણાદાર ખાતે તાલુકા કક્ષાનો સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામીણ સ્તરે નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે સભાનતા કેળવવાનો અને પર્યાવરણને પ્લાસ્ટિકના દૂષણથી મુક્ત કરવાનો છે.
આ અવસરે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જગદીશભાઈ પટેલ સહિત વિવિધ મહાનુભાવો અને અધિકારીશ્રીઓએ ગામના જાહેર સ્થળો પર પ સફાઈ ઝુંબેશ હાથ ધરીને શ્રમદાનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને એકત્રિત થયેલા પ્લાસ્ટિક કચરાનો યોગ્ય નિકાલ કર્યો હતો.
