શિહોરી પોલીસ એક્શનમાં : આકોલીની પરિણીતા ત્રણ સંતાનો સાથે ગુમ થતાં તપાસ…

1 Min Read

કાંકરેજ તાલુકાના આકોલી ગામની એક મહિલા પોતાના ત્રણ બાળકો સાથે ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફરતા તેના પતિ દ્વારા શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.મળતી માહિતી મુજબ, આકોલી ગામના ઠાકોરવાસમાં રહેતા વિક્રમજી જોગાજી ઠાકોર (ઉ.વ. 32) ની પત્ની કંસાબેન વિક્રમજી ઠાકોર (ઉ.વ. 28) તા. 16 જૂન, 2026 ના રોજ સવારે અંદાજે 11:00 વાગ્યે પોતાના ત્રણ બાળકો યુવરાજજી (ઉ.વ. 6 વર્ષ), સુહાનીબેન (ઉ.વ. 3 વર્ષ) તથા શિવાનીબેન (ઉ.વ. 5 માસ) ને સાથે લઈને સરસ્વતી જિલ્લાના વહાણા ગામે રામાપીરના દર્શન કરવા જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા.

નિયત સમય બાદ પણ તેઓ ઘરે પરત ન ફરતા તેમજ કોઈ પ્રકારનો સંપર્ક ન થતાં પરિવારજનો તથા સગા-સંબંધીઓએ આસપાસના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી. તેમ છતાં કોઈ પત્તો ન લાગતા વિક્રમજી જોગાજી ઠાકોરે તા. 18 જૂન, 2026 ના રોજ શિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેના આધારે પોલીસે જાણવાં જોગ નં. 17/2026 તથા સ્ટેશન ડાયરી એન્ટ્રી નં. 16/2026 મુજબ મહિલા અને ત્રણ બાળકો ગુમ થયાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article