આકસ્મિક આગની ઘટના : સમીમાં ઘાસચારો બળી જતાં પશુપાલકની હાલત…

1 Min Read

સમી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી આગ લાગવાની ઉપરા છાપરી ઘટનાઓ બની રહી છે, જેના કારણે પંથકમાં ચિંતાનો માહોલ છે. અગાઉ પણ આવી ઘટનાઓ બન્યા બાદ વધુ એક આગનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. તાજેતરમાં સમી-મુજપુર રોડ પર એક પશુપાલકના વાડામાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આ આગ મુજપુર રોડ પર આવેલા ભેમનાથ મંદિર નજીક પશુઓ માટે સંગ્રહ કરાયેલા ઘાસચારાના પૂળામાં લાગી હતી.

આ ઘટનામાં મોટા પ્રમાણમાં ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો.આગ લાગતાની સાથે જ આસપાસના લોકો અને તલાટી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક ૧૧૨ વાન અને યુજીવીસીએલ (UGVCL) ને જાણ કરી હતી, જેના પગલે સંબંધિત ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ આગની ઘટનામાં ઘાસચારો બળીને ખાખ થતાં પશુપાલકને મોટું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

Share This Article