સુદાનમાં ભારતીયનું અપહરણ: સુદાનમાં સતત સામૂહિક હત્યાઓને લઈને સુદાનીઝ સશસ્ત્ર દળો અને રેપિડ સપોર્ટ ફોર્સિસ મિલિશિયા (RSF) વચ્ચે હિંસક સંઘર્ષ ચાલુ છે. આ દરમિયાન સુદાનથી ભારત માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જ્યાં વિદ્રોહી જૂથ આરએસએફ દ્વારા એક ભારતીય નાગરિકનું અપહરણ કરવામાં આવ્યું છે. અપહરણ કરાયેલા ભારતીયની ઓળખ ઓડિશાના 36 વર્ષીય આદર્શ બેહેરા તરીકે થઈ છે. તે ઓરિસ્સાના જગતસિંહપુર જિલ્લાનો રહેવાસી છે.
સુદાનમાં સત્તાના નિયંત્રણ માટે સુદાનના બળવાખોર જૂથ આરએસએફ અને સુદાનની સશસ્ત્ર દળો વચ્ચે ભીષણ સંઘર્ષ ચાલી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ RSFએ 400 લોકોની હત્યા કરી હતી. સુદાનની રાજધાની ખાર્તુમ આ સંઘર્ષના કેન્દ્રમાં છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 1.3 કરોડથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. અપહરણ કરાયેલા ભારતીયને રાજધાની ખાર્તુમથી 1000 કિમી દૂર અલ ફાશીરથી ઝડપી લેવામાં આવ્યો હતો.
મીડિયા અહેવાલો અનુસાર, બળવાખોર જૂથ આરએસએફ તેને ન્યાલામાં તેમના ગઢમાં લઈ ગયું છે. જેનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આદર્શ બેહેરા નામનો વ્યક્તિ આરએસએફના બે જવાનોની વચ્ચે બેઠો છે. જેમાં સૈનિકો તેને સવાલ પૂછી રહ્યા છે, ‘શું તમે શાહરૂખ ખાનને ઓળખો છો?’
એનડીટીવીના અહેવાલ મુજબ, 36 વર્ષીય બેહેરા 2022 માં સુદાનમાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં કામ કરવા ગયા હતા. તેમને બે પુત્રો છે, જેમની ઉંમર 8 અને 3 વર્ષ છે. પરિવારે NDTV સાથે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે, “હું અલ ફશીરમાં છું. જ્યાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. હું ઓડિશા સરકારને મદદ માટે અપીલ કરું છું.”
આ પણ વાંચો- શું બીજું યુદ્ધ શરૂ થવાનું છે? ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- અમેરિકન સેના હુમલો કરી શકે છે
તમને જણાવી દઈએ કે આરએસએફએ 18 મહિના સુધી અલ ફાશીર શહેરની ઘેરાબંધી કરી હતી અને થોડા દિવસો પહેલા તેના છેલ્લા સરકારી ગઢ પર કબજો કરી લીધો હતો. આ સમયગાળા દરમિયાન શહેરમાં સામૂહિક હત્યા અને બળાત્કારની ઘટનાઓ બની હતી.
