પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનની સારડિયા અને વાંસજાળીયા નવી લાઇન (આશરે 45…

1 Min Read

(જી.એન.એસ) તા. 16

ભાવનગર,

ગુજરાતના દૂરના વિસ્તારોને જોડીને ભારતના અર્થતંત્રને વધુ વિકસિત કરવાના ઉદ્દેશ્યથી પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનની સારડિયા અને વાંસજાળીયા નવી લાઇન (આશરે45કિમી) માટે રૂ.1,12,50,000/-નાં ખર્ચે અંતિમ સ્થાન સર્વેક્ષણ (FLS)કાર્યને રેલવે બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

સારડિયા-વાંસજાળીયા નવી લાઇનનો આ નવો પ્રોજેક્ટ નીચેના લાભો પ્રદાન કરશે:

●ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રના દૂરના વિસ્તારોના સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે.

●સોમનાથ – દ્વારકા – ઓખા – પોરબંદરને જોડતો વધારાનો અને ટૂંકો માર્ગ.

●ગિરનાર,સોમનાથ અને દ્વારકા જેવા યાત્રાધામો માટે વધારાનો માર્ગ.

●ભારતીય રેલવેના સિદ્ધાંતો અનુસાર સમાવિષ્ટ વિકાસને પ્રોત્સાહન આપવા માટે.

Share This Article